Home પાટણ જોરાવરગંજ ગામમાં પાણીની સમસ્યા નિવારવા ધારાસભ્ય રઘુ દેસાઈ ની ગામલોકોને હૈયાધારણા…

જોરાવરગંજ ગામમાં પાણીની સમસ્યા નિવારવા ધારાસભ્ય રઘુ દેસાઈ ની ગામલોકોને હૈયાધારણા…

121
0
પાટણ : 14 માર્ચ

રાધનપુર ધારાસભ્ય રઘુ દેસાઈ એ જોરાવરગંજ ગામની મુલાકાત લીધી હતી જ્યાં ગ્રામજનો દ્વારા પાણીના પ્રશ્નો ની રજૂઆત કરાતા આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ઉનાળાની ગરમીમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે અંગેની કાર્યવાહી કરવાની ધારાસભ્યએ ગામલોકોને હૈયાધારણા આપી હતી

રવિવારના રોજ રાધનપુર તાલુકાના જોરવરગંજ ગામની મુલાકાત કરતા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું કરી આવકારવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા તેઓનાં પાણીનાં પ્રશ્નો સહિતની રજૂઆત કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા કેનાલના પાણીના પ્રશ્નોની યોગ્ય સ્તરે રજૂઆત કરી નિરાકરણ લાવવાની ખાત્રી ગ્રામજનોને આપી હતી.

ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની મુલાકાત દરમિયાન વિષ્ણુદાસ બાપુ, મેવાજી જેહાજી ઠાકોર(સરપંચ) દશરથભાઈ ઠાકોર, ગુગાજી ઠાકોર, નારણજી ઠાકોર, દેવાજી ઠાકોર, બચુદાન ગઢવી, નારણભાઇ દેસાઈ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here