Home Trending Special રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દેહ વ્યાપારની પ્રવૃત્તિને લઇ આપ્યું મોટું નિવેદન ,...

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દેહ વ્યાપારની પ્રવૃત્તિને લઇ આપ્યું મોટું નિવેદન , એક જ દિવસમાં 851 સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા

324
0

રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં મંત્રી હર્ષ સંઘવીએ આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડીંગ તથા હોટલ પર દરોડા શરૂ કર્યા હતા. જે આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા એક જ દિવસમાં 851 સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં રાજ્યભરમાંથી 152 આરોપીઓ સામે ગુના દાખલ કરી 103 FIR નોંધવામાં આવી છે. 152 આરોપીઓ પૈકી 105 આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા 27 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેમજ 17 ઓક્ટોબરના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ પોલીસ અધિક્ષક /રેન્જ અધિકારીઓ/પોલીસ કમિશ્નર/સંયુક્ત પોલીસ કમિશનરઓ તથા નાયબ પોલીસ કમિશનર સાથે વીડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગેરકાયદેસર ચાલતા સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે સમગ્ર રાજ્યમાં 18 ઓક્ટોબરથી આવા શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here