Home વેરાવળ સોમનાથ ભુમી પરથી જે સ્થળેથી ભગવાન શ્રીકૃષ્ણએ સ્વધામ ગમન કરેલ એ દિવસ...

સોમનાથ ભુમી પરથી જે સ્થળેથી ભગવાન શ્રીકૃષ્ણએ સ્વધામ ગમન કરેલ એ દિવસ અને સમયની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી

142
0
વેરાવળ : 3 એપ્રિલ

શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થળ એવા ગોલોકધામ તીર્થમાં ચૈત્રી એકમ દિવસે શ્રીકૃષ્ણ નિજધામ ગમન દિવસ તરીકે ઉજવાય છે

શાસ્ત્રીય કાલગણના અનુસાર શ્રી કૃષ્ણ 3102 વર્ષ પૂર્વે બપોરે 2 વાગ્યે અને 27 મિનિટે અને 30 સેકન્ડએ ગોલોકધામ તીર્થમાંથી નિજધામ એટલે કે વૈકુંઠ પ્રસ્થાન કરેલ

સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, યજમાન અને મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજવણીમાં સામેલ થયા

ભગવાન શ્રી કૃષ્ણ 3102 વર્ષ પૂર્વે પૃથ્વી પરથી સ્વધામ વૈકુંઠ ગયા હતા. સોમનાથ સાનિધ્યે ગોલોકધામ ખાતેથી કાલગણના અનુસાર ચૈત્રી એકમના રોજ બપોરના સમયે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પરની પોતાની લીલાને વિરામ આપી અને સ્વધામ ગયા હતા. પૃથ્વી ધરાતલ પર ભગવાનની અંતિમ ક્ષણને સોમનાથ સાનિધ્યે આવેલ ગોલોકધામ ખાતે શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કરવામાં આવે છે. તે મુજબ ગઈકાલે શનિવારે ચેત્રી એકમના રોજ ઉજવણી કરવામાં આવી હતી.

ગોલોક ધામ પાવન ભૂમી છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પરથી સ્વર્ગ ખાતે પ્રયાણ કર્યું એ સ્થાન છે. જ્યાં શ્રી કૃષ્ણની ચરણ રજ દિવ્ય સ્થાનમાં સચવાયેલી છે. સાથે જ પ્રભાસની ભૂમીને એટલે જ હરિ અને હર ભૂમી પણ કહેવાય છે. કારણ કે આ ભૂમિ પર ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરીત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમી પર થી પ્રયાણ કર્યુ હતુ.

ગોલોક ધામ ભૂમી પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ અને આ પાવન ભૂમી ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટીએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરના 2 કલાક 27 મીનીટ એને 30 સેકન્ડના સમયે પૃથ્વીલોકથી સ્વધામ ગમન કરેલ હતુ.

આ પાવન દિવસે સોમનાથ સાનિધ્યે ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ પૂજન કરવામાં આવેલ તેમજ બપોરના 2 કલાક 27 મીનીટ એને 30 સેકન્ડ ના સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વીલોક પરથી ગોલોકધામની ભૂમીથી સ્વધામ ગમન કરેલ આ સ્થાને શ્રી કૃષ્ણના ચરણ પાદુકાનું પુજન, શંખનાદ, બાંસુરીવાદનથી જયઘોષ કરવામાં આવેલ હતો. ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના બાળકો દ્વારા ગીતાજી પાઠ, યજમાન વેજાણંદભાઇ વાળા પરીવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ, સંસ્કારભારતી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ હતો. જ્યારે સાંજે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પાદુકાની દિવળાઓથી આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા, દિલીપભાઇ ચાવડા, યજમાન પરીવાર સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સહભાગી થઈ ધન્ય બન્યા હતા.

અહેવાલ: રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here