Home સુરેન્દ્રનગર સુરેન્‍દ્રનગર ખાતે જિલ્‍લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

સુરેન્‍દ્રનગર ખાતે જિલ્‍લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

173
0
સુરેન્દ્રનગર : 21 માર્ચ

સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર કે. સી. સંપટના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.

આ બેઠકમાં કલેકટર એ સરકારી બાકી લેણાની વસુલાત માટે ઝૂંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા જણાવ્યુ હતું. તેમણે કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ, તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.


આ બેઠકમાં ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી અને ઋત્વિકભાઇ મકવાણાએ ચોટીલા તાલુકાના અસરગ્રસ્ત તળાવો, ખનીજ પરિવહન ડિલિવરી ચલણ, વિચરતી-વિમુક્તિ જાતિને પ્લોટ ફાળવણી બાબત, બગોદરા/બામણબોર હાઇવે રોયલ્ટી બાબત, શહેરી વિસ્તારમાં બાંધકામ અંતર્ગત બી.યુ. પરમીશન તેમજ એસ.ટી. રૂટ ફરી શરૂ કરવા બાબતે વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા. કલેકટર એ સબંધિત વિભાગના અમલીકરણ અધિકારી ઓને પ્રશ્નોનું સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પરસોતમભાઈ સાબરિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટર એન.ડી. ઝાલા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક ડી.એ.ભગલાણી, પ્રાંત સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી ઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here