ગુજરાત : 27 ફેબ્રુઆરી
અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતુ….શાળાના આચાર્ય ઉન્મેશ પટેલ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતુ…શાળાના સૌ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સુખકારી માટે, તેમજ વિદ્યાર્થીઓની ઉજજવળ કારકિર્દી નું ઘડતર થાય, ભગવાનની કૃપા સતત શાળા અને બાળકો પર રહે તેવા ઉંમદા સંકલ્પ સાથે કથા રાખવામાં આવી હતી…આ પ્રસંગે શાળાના સૌ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ કેળવણી મંડળના સભ્યો હાજર રહ્યા હતા.. અને ત્યારબાદ સૌને પ્રસાદ તેમજ દાલબાટીનું ભોજન પીરસવામાં આવ્યું હતું…