ક્ચ્છ : 26 એપ્રિલ
માધાપર ખાતે બાપા સીતારામની મઢુંલી ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે હોમ હવન,મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પાટોત્સવમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ભાવિકો ઉમટ્યા હતા
વહેલી સવારથી હોમ હવન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તકે માધાપરના ભાજપના આગેવાન દિનેશભાઈ ઠક્કર પરિવારે હોમ હવનનો લાભ લીધો હતો તેમજ આ તકે હરિ ભાઈ હીરાભાઈ જાટીયા જયંતભાઇ માધાપરિયા રાજદીપસિંહ ,વાડીલાલ ભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા સાંજે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે લોકોએ મહાઆરતીનો લાભ લીધો હતો
દર વર્ષે અહીં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે