Home પાટણ પાટણમાં જબરેશ્વરી માતાના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ…

પાટણમાં જબરેશ્વરી માતાના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ…

176
0
પાટણ: 14 એપ્રિલ

પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા કલારવાડાના નાકા ઉપર જબરેશ્વરી બહુચર માતાના મંદિરનો આ વિસ્તારના યુવા ભાઈઓ – બહેનો તથા જબરેશ્વરી યુવક મંડળ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીના મુખારવિંદ સહિત ગણેશજી તેમજ નારસુંગાવીરદાદાની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવાનો ત્રિ – દિવસીય મહોત્સવ આજથી પ્રારંભ થયો હતો.જેમાં મુખ્ય યજમાન તરીકેનો લાભ પરેશભાઈ ભાનુભાઈ પટેલે પરીવારે લીધો હતો .પુનઃપ્રાણ પ્રતિષ્ઠા ના આચાર્ય પદે ડો . અમિતભાઈ ઓઝા પ્રતિષ્ઠા વિધિ વિધાન કરાવી રહ્યા છે.

પ્રસંગના મંદિરના ટ્રસ્ટી કાલિકા માતાજીની પૂજામાં સેવારત વ્યાસ પરિવારના અશોકભાઈ વ્યાસે જણાવ્યા મુજબ આ માતાજી અમારા પરિવારના કુળદેવી છે . લગભગ 300 વર્ષથી પેઢી દર પેઢી એક માત્ર ટ્રસ્ટી અમે છીએ.યુવક મંડળના સભ્યોના અથાગ પરિશ્રમથી જૂનાપુરાણા આ મંદિરે નવા કલેવર ધારણ કર્યા છે . અન્ય દાતાઓએ જરૂરિયાત મુજબ ઉદાર હાથ લંબાવ્યો છે . મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે માતાજીના ચોકમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે .

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here