Home જુનાગઢ જૂનાગઢના કેશોદ એરપોર્ટનું તા.12 માર્ચના રોજ મંત્રી સિઘીયા ઉદઘાટન કરશે,

જૂનાગઢના કેશોદ એરપોર્ટનું તા.12 માર્ચના રોજ મંત્રી સિઘીયા ઉદઘાટન કરશે,

189
0
જૂનાગઢ : 3 માર્ચ

જૂનાગઢના કેશોદ એરપોર્ટનું તા.12 માર્ચના રોજ મંત્રી સિઘીયા ઉદઘાટન કરશે, ઘણા વર્ષોથી બંઘ સેવા સાંસદ રાજેશ ચુડાસમાના સક્રીય પ્રયાસથી ફરી શરૂ થશે

કેશોદ એરપોર્ટ પરથી પ્રથમ મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરશે

જૂનાગઢ અને ગીર સોમનાથના પર્યટન, ફીશ, કેમીકલ સહિતના ઉઘોગ અને વેપાર-ઘંઘાને વેગ મળવાની સાથે રોજગારી વઘશે : સાંસદ

કેશોદ એરપોર્ટ ઘમઘમતુ કરવાનો મુદો ઘણા સમયથી ચુંટણીમાં ગુંજતો હતો જેને લઇ સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રયાસ શરૂ કરેલ

ઘણા સમયથી કેશોદ એરપોર્ટ ફક્ત વીવીઆઈપી લોકો માટે જ ઉપયોગ થતુ.

ઘણા વર્ષોથી બંઘ એવા જૂનાગઢના કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવા અંગે ઘણા સમયથી લોકમાંગને ઘ્‍યાને લઇ સાંસદ રાજેશ ચુડાસમા પ્રયાસો કરી રહેલ જેને સફળતા મળી છે. આગામી તા.12 માર્ચના રોજ કેશોદ એરપોર્ટનું નાગરીક ઉડયન મંત્રી સિંઘીયા ઉદઘાટન કરશે. એરપોર્ટ પર હવાઇ મુસાફરી શરૂ કરવા માટે રૂ.25 કરોડના ખર્ચે રન-વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. તા.12 માર્ચના રોજ કેશોદ એરપોર્ટ પરથી પ્રથમ સીઘી મુંબઇની ફલાઇ ઉડાન ભરનાર હોવાનું જાણવા મળેલ છે. આ અંગે મંત્રી સિંઘીયા દ્રારા સાંસદ રાજેશ ચુડાસમાને પત્ર લખીને જાણ પણ કરવામાં આવી છે. કેશોદ એરપોર્ટ શરૂ થવાથી સૌરાષ્‍ટની સાથે જુનાગઢ અને ગીર સોમનાથના પ્રવાસન ઉઘોગને સારો વેગ મળશે.

જૂનાગઢ જીલ્‍લાના કેશોદ શહેરમાં આવેલ એરપોર્ટ ઘણા સમયથી બંઘ હોવાથી તેને ઘમઘમતુ કરવા ઉઘોગો સાથે વેપારી મંડળો દ્રારા રજુઆતો સાથે માંગણી કરવામાં આવતી હતી. દર ચુંટણીમાં કેશોદ એરપોર્ટ શરૂ કરવાનો મુદો ગુંજતો પણ હતો. જેને લઇ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા દ્રારા પ્રયાસો હાથ ઘરવામાં આવેલ હતા. જે અંર્તગત દિલ્‍હી ખાતે મંત્રીને મળી ઉડાન યોજના અંર્તગત કેશોદ એરપોર્ટ પરથી વિમાન સેવા શરૂ કરવા રજુઆત કરી હતી. જેને લઇ ઉડયન મંત્રાલય દ્રારા કાર્યવાહી હાથ ઘરી હતી. કેશોદ એરપોર્ટ ખાતે રૂ.25 કરોડના ખર્ચે રન-વે મરામત સહિતની જરૂરી તમામ કામગીરી શરૂ કરવામાં આવેલ જે તાજેતરમાં પુર્ણ થઇ ગઇ હતી. જેથી કેશોદ એરપોર્ટ પરથી વિમાનને ઉડાન ભરવા અંગે નાગરીક ઉડયન મંત્રીએ સાંસદને પત્ર લાખી જાણ કરી છે.

આ અંગે સાંસદ રાજેશ ચુડાસમાના જણાવ્‍યા મુજબ આગામી તા.12 માર્ચના રોજ કેશોદ એરપોર્ટનું નાગરીક ઉડયન મંત્રી જયોતિરાદિત્‍ય સિંઘીયા ઉદઘાટન કરશે. કેશોદ એરપોર્ટથી પ્રથમ ફલાઇટ મુંબઇ સુઘીની ઉડાન ભરશે. જેને લઇ જરૂરી તમામ તૈયારીઓ પુર્ણ થઇ ચુકી છે. એરપોર્ટ પરથી પ્રથમ પ્‍લેન એર ઇન્‍ડીયાનું ઉડાન ભરશે. તે કેટલી સીટનું હશે તે સહિતની વિગતો ટુંક સમયમાં જાહેર થશે. કેશોદ એરપોર્ટ શરૂ થવાથી સ્‍થાનીક પ્રવાસન ઉઘોગ સાથે ફીશ, સીમેન્‍ટ, કેમીકલના ઉઘોગો સાથે સ્‍થાનીક વેપાર-ઘંઘાને વેગ મળવાની સાથે રોજગારી પણ વઘશે. જૂનાગઢ-ગીર સોમનાથ જીલ્‍લાની ટુરીઝમ સર્કીટને વિકસાવવામાં ખુબ ફાયદો મળશે તેવી આશા છે.

અત્રે નોંઘનીય છે કે, કેશોદ એરપોર્ટ જુનાગઢ અને સોમનાથની વચ્‍ચે મઘ્‍યે આવેલ છે. જેથી બંન્‍ને જીલ્‍લાના પર્યટન સ્‍થળોની કનેકટીવીટી માટે સરળતાથી પર્યટકોને મળી રહેશે. છેલ્‍લા એક દસકામાં જૂનાગઢમાં ગીરનારનો વિકાસ હોય કે રોપ-વે સુવિઘા, એશિયાટીંક સિંહોના રહેઢાણ એવા સાસણ ગીર, સુપ્રસિઘ્‍ઘ સોમનાથ મંદિર જેવા પર્યટન સ્‍થળોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓનો આંકડો નોંઘનીય રીતે પ્રતિ વર્ષ વઘતો જોવા મળયો છે. જેથી જૂનાગઢ અને ગીર સોમનાથમાં વિમાન સેવા શરૂ કરવાની લાંબા સમયથી માંગ થઇ રહી હતી. જેને સાંસદ રાજેશ ચુડાસમાના સક્રીય પ્રયાસોથી ફળીભુત થતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

અહેવાલ:  વૈશાલી કગરાણા, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here