બોટાદ : 22 જાન્યુઆરી
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિશેષ દિવ્ય શણગાર કરાયો હતો. દાદાને શનિવાર નિમિતે કષ્ટભંજનદેવને દાદાના દિવ્ય શણગારની સાથે નવનિર્માણ પામનાર નૃતન ભોજનનાલયની ઝાંખી વિશેષ દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે શનીવાર નિમિતે તા.22-1-2022ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી એવું કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા ધરાવી મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા તેમજ દિવ્ય શણગાર કરી આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ.
દાદાના શણગારની સાથે નવનિર્માણ પામનાર નૃતન ભોજનનાલયની ઝાંખી કરાવવામાં આવેલ. બાંધકામમાં વપરાતી તમામ પ્રકારની સામગ્રીઓ દર્શાવવામાં આવેલ દાદાના શણગાર-આરતી દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભક્તોએ ઘેરબેઠા ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.