આણંદ: 17 નવેમ્બર
આણંદ શહેર મા પંડીત જવાહરલાલ નહેરુજી ના જન્મદિવસે આત્મીય સેવા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા મોના મોટવાણી અને તેમની ટીમ અનેક સેવાકીય પરવૃતિ ઓ કરી રહ્યા છે . જેવીકે ભોજન, કપડાં, પગરખા, દવાઓ,શિક્ષણ , સિવણ કલાસ ,પુસ્તકો ,નોટો બાળકો ને આપવામા આવેછે. તારીખ ૧૫/૧૧/૨૨ ના દિવસે ઝૂંપડપટ્ટીના બાળકો સાથે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને 150 સ્કૂલ બેગનું વિતરણ કરવામા આવ્યું .બાળ દિવસ નિમિત્તે બાળકો તરફથી કેક કાપીને દરેક બાળકનો જન્મદિવસ ઉજવ્યો.. કિંમતી ભેટ થેલીઓ અને સ્ટેશનરી વસ્તુઓ ભેટ આપવામા આવી. બાળકોના તેમના સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામા આવી.દાતાઓની ટીમના સભ્યો -નીલમ ભાટિયા ,લક્ષા મોટવાણી ,ધવલ દવે ,માયા ભાવસાર સૌ નો ખાસ આભાર માનવામા આવ્યો -.