આણંદ: 17 નવેમ્બર
આંકલાવ વિધાનસભા 110 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને આકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું.
આંકલાવ તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા આજે રામબાઈ માતાના મંદિર સામે કેશવપુરા ખાતે તેઓના નિવાસ્થાને સભાને સંબોધી હતી આ સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી આણંદ વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ સોડા પાદરા વિધાનસભાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર તથા કોંગ્રેસના આગેવાનો અને સંગઠનના કાર્યકર્તાઓ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારબાદ રામબાઈ માતાના મંદિરે દર્શન કરીને રોડ શો યોજીને રામબાઈ માતાના મંદિરથી આકલાવ મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું આ રોડ શોમાં હજારો ની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.