Home ગોધરા “મન કી બાત” કાર્યક્રમ નિહાળવાનું આયોજન ઉપપ્રમુખ શ્રી મણિલાલ પ્રજાપતિ ના નિવાસ...

“મન કી બાત” કાર્યક્રમ નિહાળવાનું આયોજન ઉપપ્રમુખ શ્રી મણિલાલ પ્રજાપતિ ના નિવાસ સ્થાને કરવામાં આવ્યું

95
0
ગોધરા : 27 માર્ચ

આજ રોજ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ગોધરા નગર દ્વારા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના “મન કી બાત” કાર્યક્રમ નિહાળવાનું આયોજન ગોધરા નગર બક્ષીપંચ મોરચા ના ઉપપ્રમુખ શ્રી મણિલાલ પ્રજાપતિ ના નિવાસ સ્થાને કરવામાં આવ્યું એમાં પંચમહાલ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રભારી શ્રી ગોપાલભાઈ રબારી, ગોધરા ના ધારાસભ્ય સી.કે.રાઉલજી ગોધરા નગર ભાજપ પ્રમુખ શ્રી દિલીપ ભાઈ દસાડીયા તેમજ જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી સંજયભાઈ રાણા તથા બક્ષીપંચ મોરચા ના નગર અને જિલ્લા ના હોદેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને આ જ કાર્યક્રમ માં સાથે આમ આદમી પાર્ટી ના જિલ્લા ઉપપ્રમુખ રમીલાબેન મહેન્દ્રકુમાર પ્રજાપતિ, નગર વોર્ડ પ્રમુખ ઇન્દુબેન સંજયકુમાર પ્રજાપતિ તથા નગર કારોબારી સભ્ય રીનાબેન નિલેશકુમાર પ્રજાપતિએ ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા થી પ્રભાવિત થઈ ને ધારાસભ્ય શ્રી સી. કે. રાઉલજી તથા નગર ભાજપ પ્રમુખ શ્રી દિલીપ દસાડીયા અને બક્ષીપંચ મોરચા પંચમહાલ જિલ્લાના પ્રભારી શ્રી ગોપાલ ભાઈ રબારી ના હસ્તે ભાજપ નો ખેસ ધારણ કરી ને ભારતીય જનતા પાર્ટી માં વિધિવત પ્રવેશ કર્યો..

અહેવાલ:  કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here