Home પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ……

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ……

97
0
પાટણ : 3 ફેબ્રુઆરી

જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં માધુ પાવડિયા ઘાટ, સંડેરના સિદ્ધનાથ મહાદેવ મંદિર અને અડિયાના દુધેશ્વર મહાદેવ મંદિરનો આગામી સમયમાં વિકાસ કરવા પસંદગી કરવામાં આવશે

પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટભાઈ પટેલ તથા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગત ત્રણ વર્ષમાં મંજૂર કરવામાં આવેલા યાત્રાધામ વિકાસ અને પ્રવાસન ધામોને લગતા વિકાસકાર્યોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા વર્ષ 2021-22માં વિવિધ ત્રણ સ્થળોને વિકસાવવા માટે પસંદગી કરવામાં આવી છે, જે અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવશે.


વર્ષ 2021-22ના આયોજન મુજબ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે આવેલા માધુ પાવડિયા ઘાટનો વિકાસ કરવા અંદાજે રૂ.02 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવશે. જેનો સીધો લાભ તર્પણ વિધિ માટે આવતા લાખો શ્રદ્ધાળુઓને થશે. આ ઉપરાંત સંડેર ખાતે સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં અંદાજે રૂ.02.80 કરોડ તથા હારીજ તાલુકાના અડિયા ખાતે આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરનો અંદાજે રૂ.04.07 કરોડના ખર્ચે વિકાસ કરવા આયોજન હાથ ધરવામાં આવશે. આ મંદિરોમાં વિવિધ વિકાસકાર્યોના પરિણામે શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે. આ તમામ સ્થળોએ સુવિધાઓમાં વધારો કરવા જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા અંદાજીત રકમ સાથે પસંદગી કરવામાં આવી છે. જે અંગે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલ્યા બાદ મંજૂર થયેલ અનુદાન મુજબ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે.

અહેવાલ : ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here