Home કાલોલ કાલોલ તાલુકાના જંત્રાલ ગામ નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં મોટરસાયકલ...

કાલોલ તાલુકાના જંત્રાલ ગામ નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે મોત

144
0

કાલોલ: 27 જાન્યુઆરી


પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ તાલુકાના જંત્રાલ ગામ નજીક વાઘેસ્વરી માતાજીના મંદિર પાસેના રોડ ઉપર ગુરુવારે એક સ્વીફ્ટ કાર અને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સફેદ કલરની સ્વીફ્ટ ગાડીના ચાલકે પુરઝડપે અને ગફકતભરી રીતે બેફિકરાઈથી ગાડી હંકારી લઈ આવી સામેથી આવતાં મોટરસાઈકલ ચાલકને ટક્કર મારતા મોટરસાયકલ પર સવાર બન્ને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક અશોકભાઇ ડાહ્યાભાઈ સિકલીગર (ઉ.વ. ૪૮)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતાં સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તદ્ઉપરાંત તેમની પાછળ બેઠેલા પૃથ્વીરાજ નામનાં યુવકને પણ જમણાં પગે અને શરીરે ઈજાઓ પહોંચતાં તેને દવા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત ઘટના અંગે કાલોલ પોલીસે અકસ્માત સર્જી મોટરસાયકલ ચાલકનું મોત નિપજાવી ગુન્હો કરતાં સ્વીફ્ટ ગાડીના ચાલક સામે ગુનો નોંધી મૃતકની લાશને પી.એમ માટે કાલોલ રેફરલ ખાતે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

અહેવાલ : મયુર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here