પાટણ : 2 ફેબ્રુઆરી
પાટણ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગે ના જીવંત પ્રસારણ સમૂહ નિહાળવા માટે નું આયોજન ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલ હરેશભાઇ જોશી ના નિવાસ્થાને કરવામાં આવ્યું હતું
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે દિલ્હીથી વર્ચુલ માધ્યમથી લાઈવ પ્રસારણ યોજી આત્મનિર્ભરતા અર્થવ્યવસ્થા અંગે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કુદરતી ખેતી બેન્કેબલ યોજના ઓ મકાન સહાય સોર ઉર્જા,ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ તેમજ કેન્દ્ર સરકારના આત્મનિર્ભર બજેટ અંગે સંબોધન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ જીવંત પ્રસારણ ને પાટણમાં પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ શહેર અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ સહીત ભાજપના આગેવાનો કાર્યકરો એ ઉપસ્થિત રહી વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના લાઈવ સંબોધન ને નિહાળ્યું હતું