Home કોરોના કોરોના મહામારીમાં મૃતકોના સ્વજનો ને 4 લાખની સહાય ચૂકવવા પાટણ જિલ્લા કોંગ્રેસે...

કોરોના મહામારીમાં મૃતકોના સ્વજનો ને 4 લાખની સહાય ચૂકવવા પાટણ જિલ્લા કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું….

119
0
પાટણ : 7 ફેબ્રુઆરી

કોવિડ-19માં મૃત્યુ પામેલા સ્વજનોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાયની જગ્યાએ 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની ચુકવણી કરવા તથા કોવિડ ગ્રસ્ત તમામ દર્દીઓના મેડિકલ બિલની ચૂકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ જેવા મુદ્દાઓ સાથે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના જુના સર્કિટ હાઉસ થી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ ના કાર્યકરો એ સરકાર ની વિવિધ નિષ્ફળતાના બેનરો સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જિલ્લા કૉંગ્રેસ પ્રભારી ગજેન્દ્રસિંહ રહેવર ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ,સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટિયા સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here