Home ગોધરા કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનાં હસ્તે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ કચેરીનાં નવીન...

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનાં હસ્તે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ કચેરીનાં નવીન ભવનનું લોકાર્પણ

96
0
ગોધરા : 24 ફેબ્રુઆરી

કૃષિ,પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આજે ગોધરા મુલાકાત દરમિયાન ધોળાકુવા ખાતે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ કચેરીનાં નવ નિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડની કચેરીનાં નવા ભવનનું નિર્માણ થતા તેના દ્વારા થતી કામગીરી નવો વેગ મળશે. આ કચેરી પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાનાં ખેડૂતો માટે કાર્યરત છે. તે ખેડૂતો પાસે બિયારણનાં પ્લોટમાં ઘઉં, ચણા, ડાંગર, મગ, અડદ અને તલનાં બિયારણનું ઉત્પાદન કરાવે છે અને ત્યારબાદ તેનું પેકિંગ, પ્રોસેસિંગ કરી ફરી ખેતરમાં વાવવા માટે વેચાણ કરે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકી, ગોધરાનાં ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, બીજ નિગમનાં એમડી શ્રી પી.એસ. રબારી, જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા
Previous articleલીંબડી પોલીસની સરાહનીય કામગીરી, અકસ્માતમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને આર્થિક મદદ કરી અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું
Next articleખેતી એ સ્પર્ધાનો નહિં પણ સહકારનો વિષય છે – સંયુક્ત બાગાયત નિયામકશ્રી ડૉ. ફાલ્ગુન મોઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here