Home આણંદ ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.9ની પ્રવેશ પરીક્ષા લેવાશે

ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.9ની પ્રવેશ પરીક્ષા લેવાશે

139
0

આણંદ: 3 જાન્યુઆરી


ભાદરણ સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધો.9ની પ્રવેશ પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં યોજાશે. આ અંગે વાલીઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ લાઉનલોડ કરવા સુચના આપવામાં આવી છે અને વધુ માહિતી માટે વિદ્યાલયનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે.
ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યના જણાવ્યા પ્રમાણે ધોરણ 8માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2023-24માં ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા હોય, તે વિદ્યાર્થીઓ માટે 11 ફેબ્રુઆરી,22ને શનિવારના રોજ ભાદરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા ફક્ત ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયના એક જ કેન્દ્ર પરથી લેવામાં આવશે.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here