Home પાટણ રાધનપુરના મેમદાવાદ ભીલોટ માર્ગ પર અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનોના...

રાધનપુરના મેમદાવાદ ભીલોટ માર્ગ પર અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનોના મોત..

179
0

પાટણ: 20 મે


રાધનપુર મેમદાવાદ હાઇવે પર ભીલોટ પાસે બાઇક અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા બંને મૃતક યુવકો ની લાશને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જોટાડા ગામથી લગ્ન પ્રસંગે રાધનપુર તાલુકામાં આવેલાં લાલાભાઇ ઠાકોર અને સુભાષભાઈ ઠાકોર રાધનપુર થી સબંધી નું બાઈક લઈ મેમદાવાદ ખાતે રહેતા પોતાના સગાવ્હાલા ને ત્યાં મળવા માટે ગયા હતા. સગા ને મળી તેઓ મેમદાવાદ થી બાઈક લઈ રાધનપુર તરફ જવા નીકળ્યા હતા. તે દરમ્યાન મેમદાવાદ થી ભીલોટ રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે વળાંકમાં અચાનક સામેથી આવતા અજાણ્યા બાઈકચાલકે ટક્કર મારતા યુવાનોનું બાઈક સ્લીપ મારી જતા બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા બન્ને ના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે પરિવારજનોમાં શોકની કાલિમા છવાઇ હતી પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા

લગ્ન પ્રસંગે આવેલા બંને યુવકના અકસ્માતે મોત થયાના સમાચાર મળતાં યુવકના સગા સંબંધીઓમાં શોકની કલીમાં છવાઈ હતી.બન્ને યુવકોના મોતથી લગ્નનો પ્રસંગ માતમમા ફરેવાયો હતો.અકસ્માત બાબતે રાધનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક યુવકો નું પોસ્ટમોટમ રેફરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here