Home સુરેન્દ્રનગર મુખ્યમંત્રીશ્રીએ તરણેતર મેળામાં માહિતી વિભાગના પ્રદર્શનની મુલાકાત લીધી

મુખ્યમંત્રીશ્રીએ તરણેતર મેળામાં માહિતી વિભાગના પ્રદર્શનની મુલાકાત લીધી

234
0

સુરેન્દ્રનગર : 1 સપ્ટેમ્બર


મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વિખ્યાત તરણેતર મેળાની મુલાકાત દરમિયાન મેળાના મેદાનમાં ચાલી રહેલા માહિતી વિભાગના પ્રદર્શનને પણ રસપૂર્વક નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ‘ડબલ એન્જીન સરકાર, સપના સાકાર’ થીમ પર બનેલા આ પ્રદર્શનમાં પ્રદર્શિત માહિતી અને વિષયવસ્તુનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું હતા. પ્રદર્શિત યોજનાઓના સુરેન્દ્રનગર જિલ્લાના લાભાર્થીઓ વિશે પૃચ્છા કરતા તેમણે આ પ્રકારે યોજનાઓનો પ્રસાર કરી અન્ય સંભવિત લાભાર્થીઓ સુધી યોજનાકીય માહિતી પહોંચાડવાના પ્રયાસને બિરદાવ્યો હતો.
મુલાકાત દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્ર મુંજપરા,
વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દેવાભાઈ માલમ, પ્રવાસન મંત્રીશ્રી અરવિંદ રૈયાણી સહિતના મંત્રીગણ સાથે રહ્યા હતા.

તરણેતરના લોકમેળામાં માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા વિકાસની ‘ડબલ એન્જીન સરકાર, સપના સાકાર’ થીમ પર બનેલા અને મનોરંજન સાથે માહિતી આપતા આ પ્રદર્શનની મેળામાં મહાલતા હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. લોકો અહીં રાજ્યની ૨૦ વર્ષની વિકાસયાત્રાની ગાથા નિહાળે છે. ડોમમાં આવેલ સેલ્ફી ઝોનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈફ સાઈઝ કટ આઉટ સાથે સેલ્ફી – ફોટો લેવા ધસારો જોવા મળી રહ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ તેમજ રોબોટિક ગેલેરીના સેલ્ફી ઝોને પણ મુલાકાતીઓમાં આકર્ષણ જનમાવ્યું છે.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here