સુરેન્દ્રનગર: 21 ડિસેમ્બર
સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકાના ધાંગધ્રા વાદી વસાહત અને આજુબાજુ વિચરતી જાતિના વાદી,વણઝારા અને દેવીપુજક પરિવારો રહે. તેઓની પરિસ્થિતિ અત્યંત ખરાબ. રોજ નુ લાવીને રોજ ખાય એવા પરિવારો !! આવા પરિવારોની અન્ન સલામતી જળવાઈ રહે તે માટે સરકારે “અંત્યોદય યોજના” અમલ મા મુકી છે. આજ રોજ આવા ૧૨૨ જેટલા પરિવારો ને અંત્યોદય રેશનકાર્ડ મળે તે માટે ડોક્યુમેન્ટ સાથેની આખી દરખાસ્ત મામલતદાર કચેરી ધાંગધ્રા મા જમા કરાવી. મારી સાથે વાદી સમાજના આગેવાન ગોરખનાથ વાદીએ ખુબજ સહયોગ આપ્યો. આશા રાખીએ આ પરિવારોને તાત્કાલિક અંત્યોદય રેશનકાર્ડ મળી જાય !!