પેટલાદ: 19 જાન્યુઆરી
તલગાજરડા મુકામે રાજ્ય શિક્ષક સંઘના સહયોગથી પૂજ્ય મોરીબાપુ તેમજ સીતારામ બાપુના વ્યાસાસને 23 મા ચિત્રકૂટ એવોર્ડ સમારંભમાં 33 શિક્ષકોને ચિત્રકૂટ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા.. જેમાં અમારી શાળાનાં રતનબેન કે પરમારને ચિત્રકૂટ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો. રતનબેન પરમારે શિક્ષણનો ભેખ ધારણ કરી તમામ બાળકોને મફત ટ્યુશન અને જરૂરિયાત અનુસાર તમામ પ્રકારની અવારનવાર મદદ કરતાં રહે છે.. શાળામાં આચાર્યનો ચાર્જ સંભાળ્યા બાદ તેઓને મે શાળાને ઊંચે લઈ જવા તમામ પ્રકારના નિર્ણયો લેવા છૂટ આપી.. તેઓએ ભરપૂર સમય ફાળવી છેલ્લાં દોઢ વરસમાં શાળાની છબી બદલાવી નાખી.. વાલ્મિકી પ્રાથમિક શાળા રોજરોજ કઈ રીતે શાળા અને બાળકોનો વિકાસ થાય તે માટે સતત ચિંતન અને મનોમંથન કરતાં રહે છે..આમ નિશાબેન જે સોલંકીનું કહેવું છે કે રતનબેન સતત તેઓ પીડિતોની સેવા, બાળકોને શિક્ષણ અને જરૂરિયાતમંદ દર્દીઓને સારવારમાં પોતાનો કિંમતી સમય આપી રહ્યાં છે.. વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ મેળવી તેઓ ફરી એક એવોર્ડ વિજેતાની યાદીમાં વધારો કર્યો છે.. આમ રતનબેન કે પરમારે વાલ્મિકી પ્રાથમિક શાળા પેટલાદ, પેટલાદ તાલુકાનું અને આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આમ વાલ્મિકી પ્રાથમિક શાળા આચાર્ય તરીકે મારું સદભાગ્ય છે કે તેમને સનમાન મળી રહયાં છે જે અમારી શાળા ગૌરવ અનુભવે છે..