Home આણંદ આણંદ ના ઉમરેઠ તાલુકાના શીલી ગામે આઝાદી કા અમૃત મોહત્સવ કાર્યક્રમ અંતર્ગત...

આણંદ ના ઉમરેઠ તાલુકાના શીલી ગામે આઝાદી કા અમૃત મોહત્સવ કાર્યક્રમ અંતર્ગત શ્રી સિધ્ધિનાથ વિદ્યાલય ઘ્વારા રેલી યોજાઈ

146
0

આણંદ: 13 ઓગસ્ટ


આજરોજ શ્રી સિધ્ધનાથ વિદ્યાલય શોલી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા નુ ભવ્ય આયોજન કરવામા આવ્યું. આ પ્રસંગે આચાર્ય શ્રી વિનુભાઈ ઠાકોર. જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નરેન્દ્રસિંહ ચૌહાણ. કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી મનુભાઈ ચૌહાણ. તાલુકા સભ્ય શ્રે સતિષભાઈ ચાવડા. મિતુલ ભાઈ પરમાર.હાર્દિક ભાઈ પટેલ તેમજ ગામના દરેક સમાજ નાં આગેવાનો ના વરદ હસ્તે તિરંગા યાત્રા ને પ્રસ્થાન કરાવવામા આવ્યું.

આ પ્રસંગે અહિમાં. પ્રતાપપુરા. ખોરવાs નાં સરપંચ શ્રીઓ તેમજ આગેવાનો એ પણ હાજરી આપી . શાળા નાં ભૂતપૂર્વ વિધાર્થી ઓ ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં. સમગ્ર ગામ તિરંગા નાં રગે રંગાયેલું જોવા મળ્યું. તિરંગા યાત્રા માં માનવ મહેરામણ ઉમટ્યું. શાળા પરિવાર નું આયોજન જોઈ ને ગ્રામજનો માં અનેરો આનદ પ્રસરાઈ જવા પામ્યો હતો.

શાળાના વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામા ડી જે નાં તાલે ભારત માતા કી જય . વંદે માતરમ્. હર હર તિરંગા.હરઘર તિરંગા નાં નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

અહેવાલ પ્રતિનિધિ આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here