અંબાજી: 1 સપ્ટેમ્બર
રિક્ષા પલટી મારતાં અંબાજી ની સ્થાનિક મહિલા નું મોત , 3 ગંભીર…..
૧૦૮ ની ઘોર બેદરકારી, પ્રાઇવેટ વાહનો માં ઘાયલો ને હોસ્પિટલ લઈ જવાયા…..
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મહા મેળા પહેલા કૈલાશ ટેકરી પાસે ઢાળ પર રિક્ષા ની બ્રેક ફેઇલ્ થતાં અકસ્માત સર્જાયો હતો જેમાં આજ ઋષિ પાંચમ ની ઉજવણી રૂપે અંબાજી થીકોટેશ્વર મહાદેવ ના સ્થાનકે સરસ્વતી કુંડ માં સ્નાન અર્થે જતા અંબાજી ના સ્થાનિકો ને કૈલાશ ટેકરી ના ઢાળ પાસે અકસ્માત નડ્યો હતો .
કૈલાશ ટેકરી ઢાળ પાસે થી પસાર થતી વખતે અચાનક રિક્ષા ના બ્રેક ફેલ થયા રિક્ષા પલટી મારી હતી જેના કારણે રિક્ષા માં બેઠેલ યાત્રિકો જબરજસ્ત રીતે રોડ પર પટકાયા હતા જેના લીધે સવાર યાત્રિકો માં અંબાજી ની એક સ્થાનિક મહિલા નું મોત થયું હતું જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. રોડ પર પલટાયેલ રિક્ષા સહિત લોકો રોડ પર ફેલાયેલ હાલત માં પડ્યા હતા જે બાબતે રોડ પર થી નીકળતા લોકો દ્વારા ૧૦૮ નો ઘણી વાર સુધી સંપર્ક કરાયો હતો તેમ છતાં પણ ૧૦૮ સમય પર ના આવતા ઘાયલો ને તાત્કાલિક પ્રાઇવેટ વાહનો દ્વારા હોસ્પિટલ પહોચાડ્યા હતા જ્યાં અંબાજી ની સ્થાનિક મહિલા ને મૃત ઘોષિત કરવામાં આવી હતી જ્યારે અન્ય ૩ લોકો ની હાલત ગંભીર બતાવવા માં આવી રહી છે .