Home સાબરકાંઠા હિંમતનગર શામળાજી NH8 પર ખાનગી બસનો અકસ્માત સર્જાયો ૧૦થી વધુ મુસાફરો ઘાયલ

હિંમતનગર શામળાજી NH8 પર ખાનગી બસનો અકસ્માત સર્જાયો ૧૦થી વધુ મુસાફરો ઘાયલ

239
0

સાબરકાંઠા : 7 મે


હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ૮ ઉપર ખાનગી બસનો અકસ્માત સર્જાયો દસ કરતાં વધુ મુસાફરો ઘાયલ થતાં ગાંભોઈ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે સરવણા ગામ નજીક રાત્રી દરમિયાન અકસ્માત સર્જાયો હતો ખાનગી બસ રેલવે બ્રિજ પરથી નીચે પટકાઈ હતી બસમાં મુસાફર દસ કરતાં વધુ લોકોને સારવાર અર્થે 108 મારફતે ગામો સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર ઘટના મામલે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને વધુ સારવાર હેઠળ હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી બસ માં ફસાયેલ મુસાફરોને પોલીસે સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

અહેવાલ: રોહિત ડાયાણી સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here