Home પાટણ મહેમદાવાદ ગામે ઘાસચારો ચરતા 18 ઘેટાના મોતથી અરેરાટી….

મહેમદાવાદ ગામે ઘાસચારો ચરતા 18 ઘેટાના મોતથી અરેરાટી….

122
0

પાટણ: 17 મે


રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામની સીમમાં ઘાસ ચારો ચરતા ઘેટાઓ ચરતા ચરતા નજીકમા આવેલ એરંડાના ખેતરમાં ઘૂસી ગયા બાદ ટપોટપ જમીન પર ફસડાઇ મોતને ભેટયા હતા. સીમમાં ચરતા 18 ઘેટાઓ ના એકાએક મોત થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઇ છે.

રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રબારી રાયમલભાઈ નિત્યક્રમ મુજબ પોતાના ૩૦થી વધુ ઘેટા બકરા લઈને ચરાવવા ગામની સીમમાં ગયા હતા ત્યારે ઘેટાનું એક ટોળું નજીકમાં આવેલ એરંડાના ખેતરમાં ઘૂસી ગયું હતું અને થોડીવારમાં જ એક બાદ એક એમ 18 ઘેટાઓ જમીન ઉપર ફસડાઇ તરફડિયા મારી મોતને ભેટયા હતા. પશુપાલકની નજર સામે જ મહામુલુ પશુધન મોતને ભેટતા તેઓ હતપ્રત બની ગયા હતા.


બનાવની જાણ થતાં પરિવારના સભ્યો અને ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘેટા બકરા ઉપર આજીવિકા રળતા ગરીબ પશુ માલિકને સરકાર આર્થિક સહાય ચૂકવે તેવી માંગ કરી હતી

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here