ગુજરાત સરકારના સીએમ દ્વારા પણ મોટો -મોટા બેનરો લગાવવામાં આવેલા છે.જળ સે નળ યોજના તો કેમ ગરીબ લોકો સુધી પાણીનું ટીપું પણ પહોંચ્યું નથી.
જોકે ખેડબ્રહ્મા પાણી પુરવઠા દ્વારા કેમ લોકો સુધી પાણી પહોંચતું નથી એ પણ એક લોકોના મુખે સવાલ ઉઠવા પામ્યો છે. તો શું ઉચ્ચ અધિકારી આ બાબતે કેમ અજાણ હશે. કે ખેડબ્રહ્મા અધિકારીઓ દ્વારા શું જણાવવામાં આવેલું હશે કે લોકો સુધી પાણી પહોંચી રહ્યું છે. એવું તો જલ સે નળ યોજનાની ગવર્મેન્ટ દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે. અને આપણા સી એમ દ્વારા પણ મોટા મોટા બેનરો લગાવવામાં આવેલા છે. જલ સે નળ યોજનાના તો કેમ ગરીબ લોકોને હજુ સુધી પણ પાણીનું ટીપું પણ નજરે જોવા મળ્યું નથી. એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અને બીજી તરફ પ્રાણી પક્ષીઓને પાણી પીવાની પણ મુશ્કિલિયો સવાઈ રહી છે અને ગરીબ લોકોને પણ દૂરથી કુવાની અંદરથી દોરડા વડે પાણી ખેંચીને લાવવાની મુસીબતઓ પડી રહી છે. તો કેમ ખેડબ્રહ્માના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી એવું તમામ લોકોના સવાલ ઉઠવા પામ્યા છે.હવે એ જોવાનું રહે કે ઉચ્ચ અધિકારી આ બાબતે તપાસ કરશે કે શું આ ગરીબ લોકોને પાણી પીવા ટીપું મળશે કે નહીં એ જોવાનું રહ્યું. જોકે વાત કરવામાં આવી તો એક તરફ લાખો રૂપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવી રહી છે. તો કેમ ગરીબ લોકો સુધી પાણીનું ટીપું પણ પહોંચતું નથી. અને મોટી મોટી ટાંકીઓ પણ બનાવવામાં આવે છે અને ઘર ઘર સુધી નળ પણ પહોંચવાડવામાં આવ્યા છે. હજી સુધી પણ પાણીનું ટીપુ જોવા નજરે મળ્યું નથી. તો આ બાબતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને આ ગરીબ લોકો સુધી પાણી પીવાની સગવડ થાય તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે…
અહેવાલ.. રોહિત ડાયાણી, સાબરકાંઠા