Home Trending Special આણંદ ખાતે માર્ગ સલામતી તથા સુરક્ષા અંગે તાલીમ યોજાઈ

આણંદ ખાતે માર્ગ સલામતી તથા સુરક્ષા અંગે તાલીમ યોજાઈ

56
0

આણંદ BRC  ભવન, ખાતે શાળાઓમાં ચાલતી પરિવહન સુવિધા માટે માર્ગ સલામતી તથા સુરક્ષા અંગે વાહનચાલકો/આચાર્ય/શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં RTO કચેરી, આણંદના સાવનભાઈ પટેલે પરિવહન અંગે જાગૃતતા, સાવચેતીના પગલાં, વાહનના જરૂરી દસ્તાવેજ અને દંડની જોગવાઈ અંગે વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સાવનભાઈ પટેલે પરિવહન, રોડ સેફટી અને સ્વીપ કાર્યક્રમ અન્વયે મતદાન જાગૃતિ અંગેના શપથ હાજર તમામને લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં  શિક્ષણ વિભાગના બી.આર.સી કો-ઓર્ડીનેટર જલદિપભાઈ પટેલ, કલ્પનાબેન પળાલિયા, મીનલબેન પારેખ  તથા શાળાના શિક્ષકો અને વાહન ચાલકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here