સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ
સમગ્ર ભારત દેશના આઝાદી કા અમૃતોત્સવ ઉત્સવ ઉજવી રહયા છે . ત્યારે આજે ૧૫ મી ઓગસ્ટના દિવસે ૭૬ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે તાલુકા કક્ષાનો ગામ લિયાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી . અને લીંબડી તાલુકા મામલતદાર પી.જે. દેસાઈના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું . અને તિરંગાને સલામી આપવામાં આવી હતી . આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરેલ . આ કાર્યક્રમમાં લીંબડી શિક્ષકગણ ઈન્દુભા વાઘેલા , જીવણભાઈ , અશોકભાઈ , લિયાદ ગામ સરપંચ હરજીભાઈ , આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર અવની શાહ , આંગણવાડી બહેનો , લિયાદ તલાટી ભુમિબેન , તથા લીંબડી સી.પી.આઈ એ.એચ.ગોરી , લીંબડી પી.એસ.આઈ. વી.એન. ચૌધરી તેમજ પોલીસ સ્ટાફ અને લિયાદ ગામના આગેવાનો , સામાજીક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.