આણંદ: 16 નવેમ્બર
આંકલાવ વિધાનસભા 110 માં ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પઢિયાર આજરોજ સોમનાથ દાદાના દર્શન કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે આસોદર થી રેલી સ્વરૂપે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે ભારત માતાકી જય નાદ સાથે નીકળ્યા હતા. ત્યારબાદ આંકલાવ ગંગાબા પાર્કમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સભાને સંબોધી હતી ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠન તથા પેજ સમિતિના કાર્યકર્તાઓને ખૂબ મહેનત કરીને ગુલાબસિંહ પઢીયાર ને જીતાડવાનું કહ્યું હતું





















