Home આંકલાવ 12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત

12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત

210
0

આંકલાવ : 2 ફેબ્રુઆરી


ખેતરમાં બોર ખાવા ગયેલ બાળકને ઝાટકા મશીન નો કરંટ લાગતા રહસ્યમય મોત નિપજ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદ તાલુકાના કિંખલોડ રવિપુરા સીમ વિસ્તારમાં બાર વર્ષીય કિશોર ઝાટકા મશીનના તારના સંપર્કમાં આવતા કરુણમય મોત થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર રવિપુરા વિસ્તારમાં રહેતા અનિલ પ્રવીણભાઈ ઠાકોર રહે છે કે જેઓ સ્કૂલેથી છૂટ્યા બાદ ખેતરમાં બોર ખાવા માટે ગયા હતા ત્યારે ત્યાં ખેતર માલીક દ્વારા ઉભા પાકને બચાવવા માટે ખેડૂત દ્વારા ઝાટકા મશીનથી લોખંડના તાર ખેતરની ચોંફેર બાંધ્યા હતા આ ઝાટકા મશીનને ડાયરેક્ટ સપ્લાય આપવાથી કિશોર આ તારના સંપર્કમાં આવતા ઢળી પડ્યો હતો અને ત્યાં જ મૃત્યુ પામ્યો હતો આ વાતની જાણ આજુબાજુ વિસ્તારમાં થતા લોક તોડાવો જોવા માટે પડ્યા હતા આ અંગે ભાદરણ પોલીસે મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી કવાયત હાથ ધરી છે

અહેવાલ : અરવિંદસિંહ પઢિયાર, આંકલાવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here