આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ પહેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના પીઢ નેતા નીતિન ગડકરીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ભવ્ય જીત મેળવશે.
ટાઈમ્સ નેટવર્ક ઈન્ડિયા ઈકોનોમિક કોન્કલેવને સંબોધતા તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે છેલ્લા નવ વર્ષમાં દેશના વિકાસ માટે વધુ સારુ કામ કર્યું છે. આ કાર્યક્રમમાં સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના વડાપ્રધાનના લક્ષ્યને હાંસલ કરવા માટે ગરીબી નાબૂદ કરવાની અને રોજગારી પેદા કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, ભારતની સૌથી મોટી સમસ્યાઓ ભૂખમરો, ગરીબી અને બેરોજગારી છે.