Home અંબાજી અંબાજી ખાતે અમદાવાદ ના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજી ના શ્રી ચરણે...

અંબાજી ખાતે અમદાવાદ ના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજી ના શ્રી ચરણે સોના ના પાદુકા ની ભેંટ અર્પણ કરાઇ…..

137
0

અંબાજી: 27 ઓગસ્ટ


અંદાજે ૧૩ લાખ ની કિંમત ની ચરણ પાદુકા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવી….

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ અમદાવાદ ઘાટલોડિયા ના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજી ને ૫૨ ગજ ની ધજા સાથે ૨૩ તોલા ની સોના ની ચરણ પાદુકા માતાજી ના શ્રી ચરણે અર્પણ કરવામાં આવી હતી.

યાત્રાધામ અંબાજી એ હજારો – લાખો ભક્તો ની આસ્થા નુ કેન્દ્ર સ્થાન છે જ્યાં હજારો લોકો દરરોજ માતાજી ના ચરણે શીશ નમાવવા હજારો કિલોમીટર નું અંતર કાપી આવી પહોંચે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતાં માતાજી ને યથા શક્તિ મુજબ દાન – ભેંટ ચઢાવે છે ત્યારે પૈસા ,વસ્તુ, સોના – ચાંદી સહિત ની અમૂલ્ય ભેંટ માં અંબા ને ભક્તો અર્પિત કરે છે. ત્યારે આજ રોજ અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તાર માંથી આવતા માઈ ભક્તો ના એક સમૂહ જય ભોલે ગ્રુપ દ્વારા અમદાવાદ થી ૫૨ ગજ ની ધજા તેમજ ૨૩ તોલા ની સોના ની ચરણ પાદુકા લઈ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં માતાજી ના શ્રી ચરણો શીશ નમાવી ને મા આંબા ને આ ભેંટ ચઢાવી હતી અને ત્યાર બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના ટેમ્પલ ઇન્સ્પેકટર ની ઓફીસ માં જમાં કરવાવવામાં આવી હતી .સોના ની બનેલ આ ચરણ પાદુકા ની અંદાજીત કિંમત રૂ ૧૩,૦૦,૦૦૦/- ની થવા જાય છે.

અહેવાલ અલ્કેશ સિંહ ગઢવી, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here