Home આણંદ સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાની ખંભાત શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઈ હોસ્પિટલમાં...

સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાની ખંભાત શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઈ હોસ્પિટલમાં ત્રણ વર્ષની બાળકીનું મોતિયાનું સફળ ઓપરેશન

212
0

આણંદ : 12 મે


આણંદ જિલ્લાના તારાપુર ની એક ત્રણ વર્ષીય બાળકી જન્મજાત મોતિયાની બીમારીથી પીડાતી હતી જેનું મંગળવારે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબા સંચાલિત શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઈ હોસ્પિટલ ખંભાત ખાતે સફળતાપૂર્વક ઓપરેશન થતાં પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

ખંભાત મંદિરના કોઠારી ધર્મનંદન સ્વામીએ જણાવ્યું હતું કે તારાપુર ખાતે રહેતા મેહુલ ભાઈ ની દીકરી વંદના (ઉ.વ.) જન્મજાત મોતિયાની બીમારીથી પીડાતી હતી તેની ના પરિવારજનોએ અનેક આંખની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી પરંતુ કોઈ જ ફરક પડ્યો ન હતો દરમિયાન મેહુલભાઈએ વડતાલ સ્વામિનારાયણ મંદિર સંચાલિત ખંભાતની શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઇ હોસ્પિટલના તબીબી વિપુલભાઈ પ્રજાપતિ નો સંપર્ક કર્યો હતો તબીબે બાળકી વંદનાની તપાસ કરતા તેનું હૃદયમાં કાણું હોવાથી વંદનાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી ડોક્ટર માટે ઓપરેશન કરવું બહુ જ અઘરું હતું પરંતુ તબીબ વિપુલભાઈ વંદનાના ઓપરેશન સમય કાડીયાક તબીબને સાથે રાખી સફળતાપૂર્વક ઓપરેશન કરતા પરિવારજનોએ વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી, કોઠારી સંતવલ્લભ સ્વામી તથા તબીબોનો તબીબી નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

અહેવાલ: પ્રતિનિધિ આણદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here