Home ક્ચ્છ કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ-૨૦૨૨

કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ-૨૦૨૨

161
0
કચ્છ : 7 માર્ચ

કુનરિયા બાલિકા પંચાયત સભ્ય આનંદી છાંગા અને રાપર આંગણવાડી કાર્યકર મિનાક્ષીબેન વાઘેલા સાથે વર્ચ્યુઅલ સંવાદ યોજાયો

બાલિકા પંચાયત દેશભર માટે પ્રેરણારૂપ – કેન્દ્રિય મહિલા બાળ વિકાસમંત્રીશ્રી સ્મૃતિ ઈરાની

“કચ્છના આનંદીબેન એનુ જાગતુ ઉદાહરણ છે કે, જો દિકરીઓને તક આપવામાં આવે તો બાલ્યાવસ્થાથી જ નેતા પદ માટે મંત્રીપદ સુધી રાહ નથી જોવી પડતી. દિકરીઓ સમાજને ઘરેલું હિંસાથી રોકીને બાળકોને સંરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.”
એમ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ દેશની કુલ ૭ મહિલાઓ સાથે કરેલા ઈ-વર્ચ્યુઅલી સંવાદ બાદ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કચ્છ કુનરિયાની દિકરી આનંદીબેન અરૂણભાઇ છાંગાના સમગ્ર દેશમાં બાલિકા પંચાયત પ્રારંભ કરવાના પ્રસ્તાવને સ્વીકારે છે અને દેશભરમાં બાલિકા પંચાયત સ્થાપિત કરવાનો અમારો ધ્યેય છે.”

ભારત સરકાર દ્વારા શાળાએ ના જતી ૧૧ થી ૧૪ વર્ષની દિકરીઓ માટે ચાલતી “સ્કીમ ફોર એડોલેસન્ટ યોજના” તા.૩૧/૩/૨૦૨૨ના રોજ પૂર્ણ જાહેર કરી મિશનમોડમાં લઇ જવા “મિશન પોષણ ૨.૦ અને સક્ષમ આંગણવાડી સ્કીમ” અંતર્ગત ૧૪ થી ૧૮ વર્ષની કિશોરીઓને આવરી લેવાના અભિયાનમાં ૧૪ થી ૧૮ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પુનઃ શાળા પ્રવેશ આપવાના અભિયાન “કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ”નો આજે દિલ્હી ખાતેથી મહિલા અને બાળ વિકાસ કેન્દ્રિય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રિયમંત્રીશ્રીએ વર્ચ્યુઅલી ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, આસામના એક એક અને દિલ્હીના બે તેમજ ગુજરાત કચ્છની બે દિકરીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ તકે કુનરિયા બાલિકા પંચાયત સભ્ય ૧૩ વર્ષિય આનંદી છાંગાએ, “બાલિકા પંચાયતની કામગીરી જેવી કે શિક્ષણ, આરોગ્ય, કાયદો, સ્વરક્ષણ, સ્પોર્ટસ, અધિકારો પ્રત્યે જાગૃતિ વગેરે બાલિકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતમાં લાવવાની તેમજ બાળપણથી જ બાલિકાઓને સ્ટેજ મળે તેમજ રાજકારણમાં બાલિકાની ભાગીદારી વધે તે આશય રજુ કરી સમગ્ર ભારતમાં પણ બાલિકા પંચાયત બને એવી રજુઆત કરી હતી. જેમાં બાલિકા પંચાયત સરપંચશ્રી ભારતીબેન ગરવા પણ સાથે હતા.


આ બાલિકા પંચાયતોની અન્યોએ પ્રેરણા લેવી તેમજ સર્વ સમસ્યાનું સમાધાન બાલિકા પંચાયતમાં છે એમ શ્રી ઈરાનીએ જણાવ્યું હતું.
આ તકે રાપર તાલુકાના થોરીયારી ગામના આંગણવાડી કાર્યકર મિનાક્ષીબેન વાઘેલાએ પણ કિશોરીજુથની ગામની ૨૦ થી ૨૫ દિકરીઓનું ગામથી ૪ કિ.મી. દુર શાળાના કારણે શિક્ષણ છુટવાની પુનઃ અભ્યાસ માટે વાહન વ્યવસ્થાની સુવિધા માટે વિનંતી કરી હતી. જેને મંત્રી શ્રીમતી ઈરાનીએ કેન્દ્રીય શિક્ષણ રાજયમંત્રીશ્રી અન્નપૂર્ણાદેવી અને કેન્દ્રિય મહિલા બાળ વિકાસ રાજયમંત્રીશ્રી ડો.મહેન્દ્ર મુંજપરાને સાથે રાખીને રાપર સર્વ શિક્ષા વિભાગને આ બાબતે અમલીકરણ કરવા સૂચિત કર્યા હતા.
મિનાક્ષીબેન વાઘેલાના થોરીયારી તેમજ રાપર તાલુકામાં શિક્ષણ માટે વાહન વ્યવસ્થાની માંગણી માટે મંત્રીશ્રીએ તેમને અભિનંદન અને આભાર પાઠવી જણાવ્યું હતું કે, આપ સૌના કારણે જ અમે ભારત નવનિર્માણ અને સ્વર્ણિમ ભારતની વાત કરીએ છીએ.
આ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., કુનરિયાના પૂર્વ સરપંચશ્રી સુરેશભાઇ છાંગા તેમજ રાપર આઈ.સી.ડી.એસ. અધિકારી પણ જોડાયા હતા.

 

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here