Home પંચમહાલ જીલ્લો વૈષ્ણવાચાર્ય પુ .પા .ગો ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ૪૧ મો પ્રાગટ્ય દિવસ

વૈષ્ણવાચાર્ય પુ .પા .ગો ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ૪૧ મો પ્રાગટ્ય દિવસ

181
0

કાલોલ
૧૨/ફેબ્રુઆરી/૨૦૨૩

કાલોલ નગરમાં વૈષ્ણવાચાર્ય પુ .પા .ગો ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ૪૧ મો પ્રાગટ્ય દિવસ ભવ્યાતિભવ્ય ફૂલો તેમજ આતશબાજી સાથે હર્ષોલ્લાસ થી ઉજવાયો :

કાલોલ નગરના વૈષ્ણવ સમાજ દ્વારા પ્રયાગરાજ ચોકમાં આવેલી ગોવર્ધનનાથજી હવેલીના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય પ.પુ.પા.ગો.૧૦૮ અભિષેકલાલજી મહારાજના ૪૧માં પ્રાગટ્ય દિવસ અંગે તા :-૧૧૦૨૨૦૨૩ ને શનિવાર ના રોજ વૈષ્ણવ સમાજ દ્વારા ભાવ ભક્તિ અને ઉમંગભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જેના અંતર્ગત વૈષ્ણવો ધ્વારા સમગ્ર કાલોલ શહેર મા પુ.જેજે શ્રી ને વધાઈ પાઠવતા બેનરો લગાવવામાં આવ્યા હતા અને કાલોલ નગરને રોશની થી સુશોભિત કરવામા આવી હતી ,પ્રાગટ્ય દિવસ નિમિત્તે નગરના વૈષ્ણવોએ વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતિમાં ગોવર્ધનનાથજી હવેલી ખાતે વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે પલના- નંદ મહોત્સવ, રાજભોગ મનોરથના દર્શન કરીને પુ.જેજે શ્રી ની માર્કન્ડેય પૂજન કરવામાં આવી હતી. તદ્ઉપરાંત પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે સાંજે પ્રયાગરાજ ચોકમાં સુરત તેમજ રાજકોટ ના પ્રખર કિર્તનકારો ધ્વારા ભવ્ય ફુલફાગરસીયા ની રમઝટ જમાવવામા આવી હતી અને ભવ્ય આતશબાજી કરવામા આવી હતી. વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતિમાં તેમના પ્રાગટ્ય દિવસના ફુલફાગ રસીયા ઉત્સવમાં સર્વે વૈષ્ણવજનોએ પીળા રંગના ડ્રેસકોડ સાથે ભક્તિ ભાવથી જોડાઈને કૃષ્ણભક્તિની ભજનાવલીઓના સુરોમાં ગુલતાન બનીને ફુલફાગમાં આનંદમય બન્યા હતા. ફુલફાગના અવસર ટાણે પૂજ્ય જે જે શ્રી દ્વારા દરેક વૈષ્ણવોને ફુલો છાંટીને ફુલોની વર્ષા કરી હતી. ફુલફાગ દરમ્યાન યુવા વૈષ્ણવાચાર્ય પોતે જ રસિયાઓની વચ્ચે જઈને ફુલફાગ રમતા રસિયાઓએ તેમના ઉપર છાબડીઓ ભરેલા ફુલો ઉછાળી સૌને તરબોળ કર્યા હતા. સમગ્ર ઉત્સવ વૈષ્ણવાચાર્ય અભિષેકલાલજી મહારાજશ્રી એવમ યુવા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી ના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો. ગોવર્ધનનાથજી મંદિરના પ્રયાગરાજ ચોક ખાતે કાલોલ, હાલોલ, ગોધરા, વડોદરા ના ૩૦૦૦થી વધુ વૈષ્ણવોએ એકત્રિત થઈને ભક્તિભાવ સાથે ખુબ જ ઉમંગ અને ઉત્સાહથી ફુલફાગ રસિયા કાર્યક્રમમાં જોડાઈ આનંદીત થયા હતા. આ વર્ષે મોટી સંખ્યામાં સમસ્ત વૈષ્ણવ સમાજે પીળા વસ્ત્રોમાં સજ્જ થઈને ધામધૂમથી યોજાયેલા હોળી રસિયા કાર્યક્રમમાં આશરે ૧૫૦૦ કિલો થી વધુ જેટલા ફુલોથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આમ કાલોલ નગરના પોતાના વૈષ્ણવાચાર્ય સાથે સમગ્ર વૈષ્ણવોએ ભક્તિમય વાતાવરણ માં ઉજવણી કરીને ધન્યતા અનુભવી હતી.

અહેવાલ મયુર પટેલ કાલોલ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here