આજે રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ છે. જે નિમિત્તે PM મોદી સહિત અનેક નેતાઓએ રાજઘાટ પર રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
મહાત્મા ગાંધીએ ભારતની આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને અનેક ચળવળોનું નેતૃત્વ કર્યું હતું. જેણે આખરે ભારતને સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત કરવામાં મદદ કરી હતી. “બાપુ” તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીએ ઘણા લોકોના જીવન પર અમીટ છાપ છોડી છે. તેમને રાષ્ટ્રપિતા તરીકે ગણવામાં આવે છે જેમણે વિશ્વને અહિંસાની શક્તિનું પ્રદર્શન કર્યું અને રક્તપાતનો સખત વિરોધ કર્યો હતો. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાત્મા ગાંધીએ ભારતની આઝાદીની લડતમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને 1948માં નાથુરામ ગોડસે દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
આજે સમગ્ર ભારત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર પર દરેક દેશવાસીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ અવસર પર રાજધાની દિલ્હીમાં રાજઘાટ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓ ગાંધીજીને રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી
મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પર ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે બાપુને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને કહ્યું હતું કે, “આઝાદીના મહાન પિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પર સમગ્ર દેશ બાપુને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે… ભારતની સ્વતંત્રતા ચળવળમાં, બાપુએ આપેલી દેશને અહિંસાનો સંદેશ આપ્યો હતો.. તેમણે જે માર્ગ બતાવ્યો હતો, તે લોકશાહીની સૌથી મોટી તાકાત છે… આ પ્રસંગે પીએમ મોદીના આહ્વાન પર સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગાંધી જયંતિના અવસર પર સોમવારે સવારે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ રાજઘાટ પહોંચ્યા અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી.