સુરેન્દ્રનગર: 21 જાન્યુઆરી
સુરેન્દ્રનગર કલેકટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ સરકારી કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.
સંકલનની ભાગ-1ની બેઠકમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સૌરાષ્ટ્ર શાખા નહેરમાં રીપેરીંગ કરવા બાબતે અને પી.જી.વી.સી.એલ દ્વારા સિંગલ ફેજ મીટર કનેક્શન આપવા બાબતે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેકટરએ સંબંધિત વિભાગનાં અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રશ્નોના સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી.આ બેઠકમાં દસાડા ધારાસભ્ય પી. કે. પરમાર, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, સામાજિક ન્યાય સમિતિના ચરમેન મોહનભાઈ ડોરિયા, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટર ડી.એ.ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ રાયજાદા, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.