Home કાલોલ શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો.

શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો.

93
0

ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ 20 તારીખને રવિવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરે યોજાયો હતો, જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના સિનિયર સીટીઝનો,નિવૃત્ત કર્મચારીઓના સન્માન સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ અને સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે બાળ કલાકારો એ સાંસ્ક્રુતિક કૃતિઓ રજૂ કરી હતી.વડોદરાના સૂરતીર્થ સંગીત ગ્રુપ દ્વારા નિશુલ્ક મધુર સંગીત પીરસવામાં આવ્યું હતું .સમારંભ ના મુખ્ય મહેમાન તરીકે મનોજભાઈ પંડ્યા અતિથિ વિશેષ તરીકે સુભાષભાઈ ભટ્ટ , ગોપાલભાઈ પંડ્યા તથા હેમંતભાઈ જાનીએ સૌને શુભેચ્છા પાઠવી હતી.

અહેવાલ.મયુર પટેલ
કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here