Home પાટણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શાંતિધામ ની મુલાકાત લીધી….

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શાંતિધામ ની મુલાકાત લીધી….

164
0
પાટણ : 20 ફેબ્રુઆરી

રાધનપુર ખાતે ફિલ્ટરેશન પ્લાન્ટના નિરિક્ષણ બાદ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે શ્રી રામ સેવા સમિતિ સંચાલિત શાંતિધામની મુલાકાત લીધી હતી. જ્યાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી અંજલી પાઠવી હતી.આ પ્રસંગે શ્રી રામ સેવા સમિતિ ઉપરાંત રાધનપુર શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને મંડળો દ્વારા મુખ્ય પ્રધાનનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને સફાઈ કામદારોનું શાલ ઓઢાળી સન્માન કર્યું હતું

રાધનપુરના શાંતિધામ ખાતે હિન્દુ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર માટે શ્રી રામ સેવા સમિતિ દ્વારા શાંતિધામ ખાતે પૂરી પાડવામાં આવતી તમામ વ્યવસ્થાઓને મુખ્ય પ્રાધને નિહાળી હતી. સાથે જ પ્રભુશ્રી રામજીની છબી આગળ શીશ ઝુકાવી વંદના કરી હતી.સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે ચીતાર મેળવી મુખ્યમંત્રીશ્રીએ કોરોનાકાળ દરમ્યાન સંસ્થાએ કરેલી જનસેવાને બિરાદાવી હતી. સાથે જ કોરોનાકાળમાં નિઃસ્વાર્થ સેવા આપનાર સફાઈકર્મીઓનું સાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.

આ પ્રસંગે શ્રી રામ સેવા સમિતિ ઉપરાંત રાધનપુર શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને મંડળો દ્વારા મુખ્ય પ્રધાનનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આ મુલાકાત સમયે જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશંકરભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્યઅલ્પેશભાઈ ઠાકોર સહિતના પદાધિકારીઓ-હોદ્દેદારો જિલ્લા કલેક્ટરસુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા ઉપરાંત શ્રી રામ સેવા સમિતિ સંસ્થાના પ્રમુખ, હોદ્દેદારો, વિવિધ સંસ્થા અને મંડળોના પ્રતિનિધિઓ, આગેવાનો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

● શાંતિધામ અપાતી સેવાઓ ની મુખ્યમંત્રીએ સરાહના કરી
● વિવેકાનંદ પ્રતિમાને મુખ્યમંત્રીએ કર્યું માલ્યાર્પણ
● વિવિધ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રી નું સન્માન કરાયું
● કોરોના વોરિયર્સ એવા સફાઈ કામદારોનું મુખ્યમંત્રીએ શાલ ઓઢાળી સન્માન કર્યું

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here