Home શિક્ષણ જીવનના કીમતી 40 વર્ષ શિક્ષણ જગતને અર્પણ.. કોણ હતું જેમનું મહત્વપૂર્ણ યોગદાન...

જીવનના કીમતી 40 વર્ષ શિક્ષણ જગતને અર્પણ.. કોણ હતું જેમનું મહત્વપૂર્ણ યોગદાન દુનિયાને આજે પણ યાદ છે..!

95
0

5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ નાના બાળકોને સાડી અને ફોરમલ કપડાંમાં શાળા જતાં જોઈએને તુરંત વિચાર આવે કે આજે તો શિક્ષક દિવસ છે..! પણ આ વાત માત્ર ત્યાં સુધીજ પૂરી નથી થઈ જતી આજે ઇતિહાસ તાજો કરાવવો છે. શું જાણો છો ? શા માટે આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ નામ તો આપણે નાનપણમાં સાંભળ્યું જ હશે. જેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં થયો હતો. જેમને પોતાના જીવનના અમૂલ્ય 40 વર્ષ શિક્ષક તરીકે દેશને આપ્યા છે. જેમનું શિક્ષણને માવજત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રાધાકૃષ્ણન એક મહાન વિદ્યાન અને ફિલોસોફર હતા. આ દિવસને જન્મદિવસની ઉજવણી કરવાની તેમના વિદ્યાર્થીઓએ મંજૂરી માંગી હતી ત્યારે તેમણે કહ્યું કે જન્મદિવસ ઉજવવાને બદલે તેઓ આ દિવસને સમગ્ર દેશમાં શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિવસ તરીકે ઉજવે તો મને ગર્વ થશે. ત્યારથી દેશમાં પ્રથમ વખત, 5 સપ્ટેમ્બર 1962 ના શિક્ષક દિવસની શરૂઆત કરવામાં આવી છે.સમગ્ર દેશની શાળાઓ, કોલેજો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ડો. રાધાકૃષ્ણને શ્રદ્ધાંજલિ અપર્ણ કરે છે. આ દિવસે વિદ્યાર્થીઓ શિક્ષકોને તેમના સમર્પણ માટે શિક્ષકોને આભાર વ્યક્ત કરે છે. ત્યારે શિક્ષક દિન નિમિતે શાળા અને કોલેજોમાં શિક્ષકને સન્માનમાં નાએક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here