ગોધરા: 17 નવેમ્બર
સંકલ્પ પત્રોનું વિતરણ થયું વિદ્યાર્થીઓને કલેકટર દ્વારા આપવામાં આવેલ વાલીનો પત્ર આપવામાં આવ્યો.
ગોધરાની જાણીતી શેઠ પીડી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં સંકલ્પપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રીની આજ્ઞા અનુસાર વિદ્યાર્થીઓને સંકલ્પ પત્રો આપવામાં આવ્યા હતા સંકલ્પોત્રો મેળવ્યા બાદ વિદ્યાર્થીઓએ ખાસ તેઓ કોઇ પણ જાતિ જ્ઞાતિ ધર્મ વગેરેને ધ્યાનમાં રાખ્યા વગર યોગ્ય મતદાન કરશે તે અંગે માર્ગદર્શન પૂરું પડાયું હતું. પ્રોગ્રામમાં એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડો રૂપેશ નાકર, વહીવટી વિભાગમાંથી બચુભાઈ રાઠવા ઉપરાંત અન્ય સ્ટાફ મેમ્બર્સ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા. આચાર્યશ્રીએ સર્વે વિદ્યાર્થીઓને એથીકલ વોટિંગ કરવા આહવાન કર્યું હતું આ ઉપરાંત શુભકામનાઓ આપી હતી. કેમ્પસ એમ્બેસેડર નિતેશ વિનોદ દ્વારા મતદાન જાગૃતિનું મહત્વ સમજાવાયું હતું. પ્રોગ્રામનું આયોજન કોલેજના એનએસએસ વિભાગ દ્વારા થયું હતું.