Home અંબાજી શક્તિપીઠ અંબાજી માં ગબ્બર પર્વત ખાતે આજથી ત્રણ દિવસીય પરિક્રમા શરૂ

શક્તિપીઠ અંબાજી માં ગબ્બર પર્વત ખાતે આજથી ત્રણ દિવસીય પરિક્રમા શરૂ

102
0
અંબાજી :  8 એપ્રિલ

શક્તિપીઠ અંબાજી માં ગબ્બર પર્વત ખાતે આજથી ત્રણ દિવસીય પરિક્રમા શરૂ થઈ છે ગુજરાતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં ભાગ લેવા આવી પહોંચ્યા છે ત્યારે ગબ્બર પર્વત પરથી અખંડ દીવાની જ્યોત નીચે લાવી અને પરિક્રમાની શરૂઆત કરાઈ હતી શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય ગબ્બર પર્વત પરની પરિક્રમાનો પ્રારંભ થયો છે.

વિશ્વના 51 શક્તિપીઠો નું એક જ સ્થળે શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે હેતુથી આ પરિક્રમાનું આયોજન કરાયું છે ત્રણ દિવસીય પરિક્રમા ગુજરાત ભરમાંથી આવનાર અનેક શ્રદ્ધાળુઓ આ પરિક્રમા ભાગ લેશે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ પરિક્રમા માટે પુરતી તૈયારીઓ કરાઈ છે ભજન મંડળો આનંદ ગરબા મંડળો અને ભાદરવી પૂનમ યા રંગો પણ આ પરિક્રમામાં જોડાશે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ પણ આજે કોટેશ્વર ખાતે ભૂમિ પૂજન કરશે અને ગબ્બર પર્વત પર રાત્રે ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ સોનુ લોકાર્પણ કરશે ત્યારે તંત્રની પણ અપીલ છે કે શ્રદ્ધાળુઓ શક્તિપીઠની પરિક્રમા કરે અને મા અંબાના દર્શન નો લાભ લે.

1..શક્તિપીઠ અંબાજી મા આજથી 3 દિવસીય પરિક્રમા નો પ્રારંભ
2..ગબ્બર પર્વત પર થી અખંડ દીવા ની જ્યોત લાવી પરિક્રમા નો પ્રારંભ
3..મુખ્યમંત્રી આજે ભારત ના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શો નું લોકાર્પણ કરશે
4..ભજન મંડળીઓ..આનંદ ગરબા મંડળ અને ભાદરવીયા સંઘો જોડાશે


અહેવાલ : અલકેશસિંહ ગઢવી, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here