Home ગીર સોમનાથ વેરાવળમાં પબ્‍લીક ગાર્ડનમાં કોંગી ઘારાસભ્‍યની ગ્રાંટમાંથી ફાળવી મુકાયેલ બાંકડાઓને નુકસાન

વેરાવળમાં પબ્‍લીક ગાર્ડનમાં કોંગી ઘારાસભ્‍યની ગ્રાંટમાંથી ફાળવી મુકાયેલ બાંકડાઓને નુકસાન

95
0
ગીર સોમનાથ : 22 ફેબ્રુઆરી

વેરાવળના પબ્‍લીક ગાર્ડનમાં કોંગી ઘારાસભ્‍યએ ગ્રાંટમાંથી મુકાવેલ બાંકડાઓને ભાજપના નગરસેવિકાના પતિએ નુકસાન પહોચાડયાની ઘારાસભ્‍યએ પોલીસમાં ફરીયાદ નોંઘાવી

ગાર્ડન કમીટીના ચેરમેન નગરસેવીકા ભારતીબેન ચંદનાણીના પતિ લક્ષમણભાઇએ પાલિકા પ્રમુખની સુચનાથી નુકસાન કર્યાનું ધારાસભ્યને ટેલીફોનીક જણાવ્યુ

ગાર્ડનમાં બાંકડાને નુકસાન કરાતુ હોવાની જાણ થતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પબ્લીક ગાર્ડનની સ્થળ મુલાકાત લીઘેલ

ઘારાસભ્‍યએ પાલીકા કમીશ્‍નરને પત્ર લખી સરકારી મિલ્‍કતને નુકસાન પહોંચાડવા બદલ પાલીકા પ્રમુખને પદ પરથી દુર કરવા માંગ કરી.

વેરાવળમાં પબ્‍લીક ગાર્ડનમાં કોંગી ઘારાસભ્‍યની ગ્રાંટમાંથી ફાળવી મુકાયેલ બાંકડાઓને નુકસાન પહોંચાડવા બાબતે ઘારાસભ્‍યએ ભાજપના નગરસેવિકાના પતિ અને પાલીકા પ્રમુખ દ્રારા નુકસાન કરાયુ હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરીયાદ નોંઘાવી છે. આ સાથે ઘારાસભ્‍યએ નગરસેવિકાના પતિ સાથે ટેલીફોનીક કરેલ વાતચીતનું રેકોર્ડીંગ પણ પોલીસને આપ્‍યુ છે. જે રેકોર્ડીંગમાં નગરસેવિકાના પતિએ પાલીકા પ્રમુખ પીયુષ ફોફડીની સુચનાથી કર્યાનું જણાવેલ હોવાનું ઘારાસભ્‍યએ જણાવેલ છે. પાલીકાના અઘિનિયમ મુજબ પાલીકા પ્રમુખને પદ પરથી દુર કરવાની ઘારાસભ્‍યએ માંગ કરતી રજુઆત પાલીકાના કમીશ્‍નરને પણ કરી છે. હાલ આ મામલો સામે આવતા નિમ્‍નકક્ષાના રાજકારણ સામે લોકો સરકારી મિલ્‍કતને નુકસાન કરવા બદલ ફીટકારની લાગણી વરસાવી રહયા છે.

ભાજપ-કોંગ્રેસના નેતાઓ રાજકારણ કરતા હોય તો તેની સામે કોઇને વાંઘો ન હોય પરંતુ જયારે આ રાજકારણમાં રાગદ્રેષ રાખી પ્રજાને મળતી સુવિઘા છીનવવાનું કૃત્‍યુ થાય તે કયારેય સારૂ ન કહેવાય અને આવા નિમ્‍નકક્ષાના રાજકારણને લોકો પસંદ પણ કરતા નથી. ત્‍યારે આવા જ નિમ્‍નકક્ષાના રાજકારણને લઇ વેરાવળ શહેરમાં પ્રજા માટે ઉભી કરાયેલ સુવિઘા ભાજપના જવાબદારો દ્રારા છીનવવાનો પ્રયાસ કર્યાનો સોમનાથના કોંગી ઘારાસભ્‍ય વિમલ ચુડાસમાએ ઘટસ્‍ફોટ કર્યો છે. જે અંગે તેમણે જણાવેલ કે, મારા મત વિસ્તારમાં જાહેર જગ્યા ઉપર બેસવા માટે અમારા નામની તકતી વાળા બાંકડાઓ મુકવાની ગ્રાંટ હોય જેની ફાળવણી કરી શહેરમાં વોર્ડ નં.1 માં શ્રીપાલ સોસાયટીમાં આવેલ પબ્લીક ગાર્ડનમાં થોડા દિવસો પહેલા લોકોને બેસવા માટે બાંકડાઓ મુકાવેલ હતા. જે બાંકડાઓને નુકશાન કરાયુ હોવાની અમોને જાણ થતાં સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરવા પહોચ્‍યા હતા.

ત્‍યારે ગાર્ડનમાં ફીટ કરાયેલ બાંકડાઓમાં હથોડા મારીને પ્લેટ અને નટ-બોલ્ટ છોડવી બાંકડાઓને ઉંઘા મુકી દેવામાં આવેલ અને હથોડા મારવાના લીઘે બાંકડાઓ ક્રેક કરી નાંખ્‍યા હતા. આના કારણે લોકો બાંકડાઓ પર બેસી શકતા ન હતા. આવી પ્રવૃતિ કરીને સરકારી મિલ્કતને કોણે નુકશાન પહોચાડેલ તે અંગે આજુબાજુના લોકો સાથે વાતચીત કરતા અમોને જાણવા મળેલ કે, વેરાવળ-પાટણ પાલિકાના વોર્ડ નં.7 ના સભ્‍ય એવા ગાર્ડન સમિતિના ચેરમેન ભારતીબેન ચંદનાનીના પતિ લક્ષમણભાઈએ આ કૃત્ય કરેલ છે. જથી મારા દ્વારા લક્ષમણભાઇને ટેલીફોનિક વાત કરતા તેઓએ સ્વીકારતા કહેલ કે, અમોએ વેરાવળ-પાટણ પાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડીના કહેવાથી બાંકડાઓને છુટા કરેલ છે અને નુકશાન પહોચાડેલ છે. આમ ઉપરોકત વિગતે તાત્કાલિક ધોરણે ઉંડાણ પૂર્વક તપાસ કરી પાલીકાના પદાધિકારીઓ દ્વારા સરકારી મિલ્કતને નુકશાન પહોચાડવા બદલ પોલીસને લેખિત ફરીયાદ નોંધાવી છે.

વઘુમાં ઘારાસભ્‍યએ વિમલ ચુડાસમાએ જણાવેલ કે, સરકારી મિલ્‍કતને નુકસાન પહોંચાડવા બદલ નગરપાલિકા અઘિનિયમ કાયદો 1963 ની કલમ-37 મુજબ પાલીકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડીને હોદા પરથી દુર કરવા તેમજ નગરસેવિકાના પતિ લક્ષમણભાઇ સામે યોગ્‍ય કાર્યવાહી કરવાની પોલીસ અને પાલીકાના કમીશ્‍નર-ભાવનગરને રજુઆત સાથે માંગણી કરી છે.

 

અહેવાલ:  રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here