ગોધરા : 5 મે
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે 3 દિવસ માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મદય ઝોન ના 8 જિલ્લાના બ્રાહ્મણો આ કાર્યક્રમ માં જોડાશે .આ કાર્યક્રમ સમસ્ત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષાના વડપણ હેઠળ પંચમહાલ જિલ્લાના યજમાન પદે યોજાનાર છે જેમાં કાર્યક્રમ 6,7,અને 8 તારીખ સુંધી ગોધરા ખાતે આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના વૃત્તાંલય વિહાર સાયન્સ કોલેજ પાછળ કનેલાવ તળાવ રોડ ખાતે યોજાનાર છે .જેમાં બ્રહ્મ બિઝનેસ મીટ, લગ્ન નોંધણી પોર્ટલ તેમજ બ્રહ્મ ગૌરવ એવોડ જેવા કાર્યક્રમ નું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવનાર છે.જેમાં સાધુ સંતો ,બ્રહ્મનેતાઓ તેમજ સરકાર ના અન્ય રાજકીય ધારાસભ્ય અને મંત્રીઓ હાજર રહેશે .આ કાર્યક્રમ 3 દિવસ સાંજે 4 વાગ્યા થી લઈ રાતના 11 વાગ્યા સુ ધી યોજનાર છે જેમાં 3 દિવસ અલગ અલગ સંસ્કૃતિ પ્રોગ્રામ નું આયોજન પણ કરવામાં આવ્યું છે .