Home ગીર સોમનાથ ગીર સોમનાથના ત્રણ તાલુકાઓમાંથી બાંઘકામના સ્‍થળોએ કિંમતી લોખંડની પ્‍લેટો ચોરી કરતા ચાર...

ગીર સોમનાથના ત્રણ તાલુકાઓમાંથી બાંઘકામના સ્‍થળોએ કિંમતી લોખંડની પ્‍લેટો ચોરી કરતા ચાર શખ્‍સોને ઝડપી લેવાયા

113
0
ગીર સોમનાથ : 25 ફેબ્રુઆરી

એલસીબીએ ચારેય પાસેથી રૂ.2.70 લાખની કિંમતની 270 ચોરી કરેલ પ્‍લેટો કબ્‍જે કરી

દિવસ દરમ્‍યાન રેકી કર્યા બાદ રાત્રીના સમયમાં પ્‍લેટો ચોરવાની ઘટનાને અંજામ આપતા.

ગીર સોમનાથ જીલ્‍લાના જુદા-જુદા તાલુકાઓમાં એકાદ માસથી બાંઘકામમાં ઉપયોગ થતી સેન્‍ટીંગની લોખંડની પ્‍લેટો ચોરીના કીસ્‍સા વઘ્‍યા હોવા અંગે રજુઆતોના આઘારે એલસીબીએ ચાર શખ્‍સોને ચોરી કરેલ પોણા ત્રણ લાખની કિંમતની 270 જેટલી લોખંડીની પ્‍લેટો સાથે ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે. આ શખ્‍સો પાસેથી ચોરેલ તમામ પ્‍લેટો ઉપરાંત ગુનાને અંજામ આપવામાં ઉપયોગ કરતી રીક્ષા પણ કબ્‍જે કરવામાં આવી છે. પકડાયેલા તસ્‍કરો દિવસ દરમ્‍યાન રેકી કીર જયાં બાંઘકામ ચાલી રહયુ હોય તે નકકી કરી રાત્રીના ત્‍યાં જઇ સેન્‍ટીંગની લોખંડની પ્‍લેટો ચોરી કરતા હોવાનું પોલીસને જાણવા મળેલ છે.

જીલ્‍લાના જુદા-જુદા વિસ્‍તારોમાં ચાલી રહેલ બાંઘકામના સ્‍થળો પરથી કિંમતી લોખંડની પ્‍લેટોની ચોરી થતી હોવાની ફરીયાદો પોલીસ સુઘી પહોંચી હતી. જે અનુસંઘાને પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાથી એલસીબી પીઆઇ વી.યુ.સોલંકી, પીએસઆઇ કે.જે.ચૌહાણ સહિતના સ્‍ટાફએ વિશ્વાસ પ્રોજેકટ અંર્તગત લગાવેલા સીસીટીવી ફુટેજો ખંગાળવાનું શરૂ કરતા તેમાં અમુક શંકાસ્‍પદ પ્રવૃતિ જોવા મળી હતી. જેથી શંકમદોથી શોઘખોળ કરી રહેલ દરમ્‍યાન એલસીબીના અજીતસિંહ પરમાર, નરેન્દ્ર પટાટને મળેલ બાતમીના આઘારે સોમનાથ બાયપાસ પાસે ગુડલક સર્કલ પાસે વોચમાં હતા. ત્‍યારે ચાર મુસાફરો બેસેલ એક ઓટો રીક્ષા શંકાસ્‍પદ સ્‍થ‍િતિમાં પસાર થઇ રહેલ જેને રોકાવી તેમાં તપાસ કરતા અમુક બાંઘકામમાં સેન્‍ટીંગના કામમાં ઉપયોગ લેવાતી લોખંડની પ્‍લેટો મળતા તે અંગે ચારેય શખ્‍સોની આગવીઢબે પુછપરછ હાથ ઘરી હતી.

ચારેય શખ્‍સો (1) શાકીર હારૂનભાઇ મલંગ (ઉ.વ.21)રહે.કીરમાની કોલોની (2) અસ્ફાક અનવરભાઇ મલેક (ઉ.વ.22) રહે.શાહીન કોલોની (3) સુફીયાન હારૂનભાઇ મલંગ (ઉ.વ.20) રહે.મલંગ શેરી (4) ઇકબાલ મહેબુબ ખુજજાદા (ઉ.વ.20) રહે.ગાજી શેરી વેરાવળવાળાએ પુછપરછમાં જણાવેલ કે, જીલ્લાના વેરાવળ, સોમનાથ અને તાલાળા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા બાંઘકામના સ્‍થળોએથી રાત્રીના સમયે લોખંડની પ્લેટોની ચોરી કરતા હતા. છેલ્‍લા છએક માસની અંદર કુલ 270 લોખંડની પ્‍લેટો કિ.રૂ.2.70 લાખની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. જેથી ચોરી કરેલ તમામ 270 પ્‍લેટો પોલીસે કબ્‍જે કરી હતી. આ ચારેય શખ્‍સો દિવસ દરમ્‍યાન હરી ફરીને બાંઘકામના સ્‍થળોની રેકી કરી નકકી કરી લેતા બાદમાં રાત્રીના સમયે નકકી કરેલા સ્‍થળોએ જઇ લોખંડની પ્‍લેટો ચોરી કરતા હોવાની એમ.ઓ. ઘરાવતા હોવાનું એલસીબી સુત્રોએ જણાવેલ છે. આ ચોરીનો પર્દાફાશ કરવામાં એલસીબીના રામદેવસિંહ જાડેજા, નરેન્દ્ર કછોટ, લતાબેન પરમાર, મેરામણ શામળા, ભુપેન્દ્રસિંહ ચાવડા, ભાવેશ મોરી સહિતનાએ ફરજ બજાવી હતી.

 

અહેવાલ:  રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here