Home Trending Special આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગે સરદાર ગંજમાં ફાયર એન.ઓ.સી. વગરની ૩ દુકાનો સીલ...

આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગે સરદાર ગંજમાં ફાયર એન.ઓ.સી. વગરની ૩ દુકાનો સીલ કરી 

84
0

આણંદ માં ફાયર સલામતીની ચેકિંગ અંગે ખાસ મુહિમ શરૂ

આણંદ, શુક્રવાર: આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગે સરદાર ગંજ વિસ્તારમાં ફટાકડા વેચતી દુકાનો પર અચાનક તપાસ કરી. આ દરમિયાન યસ સિગ્નલ સ્ટોર્સ, મયુર સેલ્સ અને વિનાયક સિગ્નેચર સ્ટોર્સમાં ફાયર સલામતી માટે જરૂરી ફાયર NOC (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) નહોતું મળ્યું. આ કારણે આ ત્રણેય દુકાનોને તાત્કાલિક સીલ કરવામાં આવી છે.

ફાયર NOC માટે સખ્ત પગલાં
મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે ટ્યુશન ક્લાસ, કોચિંગ સેન્ટર, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પાર્ટી પ્લોટ ચલાવતા સંસ્થાઓએ ફાયર NOC લેવું ફરજિયાત છે. જો કોઈ સંસ્થા પાસે આ સર્ટિફિકેટ ન હોય, તો તાત્કાલિક વડોદરાના ફાયર ઑફિસર સાથે સંપર્ક કરીને તે મેળવવું જરૂરી છે. નહીંતર, સખ્ત કાર્યવાહી લઈને દુકાનો અથવા ઇમારતો સીલ કરવામાં આવશે.

મહાનગરપાલિકા આ મુદ્દે ખાસ મુહિમ ચલાવી રહી છે, જેમાં ફાયર સલામતીના નિયમોનું પાલન ન કરનારા પર કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત વ્યવસાયીઓએ ફાયર NOC મેળવવા માટે તુરંત પગલાં ભરવાની અપીલ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here