Home કાલોલ પંચમહાલ જિલ્લાના તરવડા અને બામણકુવા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ...

પંચમહાલ જિલ્લાના તરવડા અને બામણકુવા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ

253
0

કાલોલ : 6 જાન્યુઆરી


ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા તા. ૦૬/૦૧/૨૦૨૩ને શુક્રવારના રોજ એક દિવસીય પ્રાકૃતિક ખેતી અંગે કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. જે અંતર્ગત -પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના તરવડા ખાતે તેમજ હાલોલ તાલુકાના બામણકુવા ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ” અંતર્ગત એક દિવસીય ખેડુત તાલીમ શિબિર યોજાઈ હતી. આ કાર્યકમમાં જિલ્લાના બાગાયત વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ,આત્મા કચેરી તેમજ બાગાયત સંશોધન કેંદ્ર વેજલપુર તેમજ મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા ખાતેથી વૈજ્ઞાનિક સહિત વિવિધ અધિકારી ઓ, કર્મચારીઓએ બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત વિભાગ હસ્તક ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાકીય માહિતી તેમજ સ્થાનિક પાકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ : મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here