તા.૨૫મી એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે “શૂન્ય મેલેરિયા પહોચાડવાનો સમય, રોકાણ, નવીનતા, અમલીકરણ“ થીમ પર અને “મેલેરિયા મુક્ત ભારત” ના ભારત સરકારના અભિગમને ચરિતાર્થ કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એસ.ધ્રુવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.અલ્પેશ મકવાણા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંઘાડીના મેડીકલ ઓફિસર ડો.ભાવિકા રોહિતના માર્ગદર્શન હેઠળ એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આરોગ્ય કર્મચારીઓ ,એફ-આશા તેમજ આશા દ્વારા ડોર ટુ ડોર મુલાકાત લઈ વાહક જન્ય રોગ અટકાયતી પગલાં લેવા માટે જન-જનમાં લોક-જાગૃતિ ફેલાવવા આરોગ્ય-શિક્ષણ દ્વારા માહિતીગાર કરવામાં આવ્યા હતા.
તેમજ એબેટ કામગીરી ,ઓઈલ- દડા કામગીરી તેમજ જોખમી વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુપરવાઈઝર શૈલષભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ હરદીપ ઠાકોર અને આદિલ શેખ દ્વારા સેવાલિયા-ગામ અને લાલાના મુવાડાના વિવિધ વિસ્તારોમાં પોરાભક્ષક માછલી-ગપ્પી ફીશ હોજ અને હવાડામાં મૂકવામાં આવી હતી.