Home બોલીવુડ ધ ફેમસ ટીવી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં...

ધ ફેમસ ટીવી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં જેઠાલાલ નહીં દેખાય ???

108
0

વર્ષ 2008 માં શરૂ થયેલો એ ટીવી શો કે જેનાથી દેશભરના ઘરે-ઘરે હાસ્ય ફેલાવ્યું છે. ત્યારે આ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”   (TARAK MEHTA KA ULTA CHASMA ) શો છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં આવી ગયો છે. જ્યાં કેટલાક કિરદારો બદલાઇ ગયા છે. જેની જગ્યાએ નવા ચહેરાઓએ જગ્યા પૂરી દીધી છે. આ મુખ્ય ભૂમિકા ભજવનાર દયા ગડા એટલે દિશા વાંકાણીએ ઘણાં વર્ષોથી શો ને છોડી દીધો છે. ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે શો નો પાયો એટલે જેઠાલાલ ગડાનો ભૂમિકા ભજવનાર દિલીપ જોષી શો છોડી શકે તેવી ખબરો ચાલી રહી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ છેલ્લા 14 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આવા વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે કલાકારોને ભાગ્યે જ બ્રેક મળે છે અને આ વખતે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ તેમના શેડ્યૂલમાંથી થોડો બ્રેક લીધો છે. વાસ્તવમાં, દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે કે તે શો છોડશે કે નહીં, તો તેની પાછળનું સાચું કારણ શું છે તેના વિશે એક ખાસ માહિતી સામે આવી છે. અભિનેતાની નજીકના સ્ત્રોતે શેર કર્યું હતું કે, ‘દિલીપ જોષીએ તેમના શો માંથી બ્રેક લીધો છે અને હાલમાં તેઓ તેમના પરિવાર સાથે તાંઝાનિયાના ટૂંકા ધાર્મિક પ્રવાસ પર છે.’

અભિનેતા સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત એક ખાસ પ્રસંગ માટે દરે સલામમાં છે. ચાહકો જાણે છે તેમ, દિલીપ જોશી સોશિયલ મીડિયાના એટલા શોખીન નથી, તેથી તેમણે હજી સુધી તેમની સફરની કોઈ તસવીરો પોસ્ટ કરી નથી. પરંતુ દિલીપની છેલ્લી પોસ્ટ હજુ પણ તેની ધાર્મિક યાત્રાઓ વિશે ઘણું બધું કહે છે.

સ્વામિનારાયણ માટે દિલીપ જોષીની પોસ્ટ

સ્વામિનારાયણના BAPS સમુદાય દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં થશે. સમુદાય ટૂંક સમયમાં શહેરમાં એક વિશાળ સ્વામિનારાયણ મંદિર બનાવવા જઈ રહ્યો છે. દિલીપે લખ્યું, ‘જય સ્વામિનારાયણ, આવા મહત્વપૂર્ણ અને આનંદના પ્રસંગ માટે હાર્દિક આમંત્રણ!’

SHOW માં જેઠાલાલનો ટ્રેક કેવી રીતે બતાવવામાં આવશે ?

વીડિયોમાં દિલીપે એ પણ ખુલાસો કર્યો હતો કે તે ધાર્મિક પ્રસંગો દરમિયાન અબુ ધાબીની પણ મુલાકાત લેશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટ્રેક વિશે વાત કરતાં, ગોકુલધામના લોકોએ આખરે ગણેશ ચતુર્થીની ઉજવણી શરૂ કરી છે અને બાપ્પાનું સ્વાગત કર્યું છે. જેઠાલાલે ખુલાસો કર્યો કે તેઓ આ વખતે ગણેશોત્સવનો ભાગ બની શકશે નહીં. બાપ્પાનું સ્વાગત અને પ્રથમ આરતી કર્યા બાદ તેઓ ઈન્દોર જવા રવાના થશે કારણ કે તેમને આમંત્રણ છે. આ સીન જેઠાલાલ થોડા દિવસો માટે શોમાંથી બહાર જવાનો છે કારણ કે તે શૂટિંગમાંથી બ્રેક લઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here